Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

માધાપર ચોકડીએ ટ્રકની ઠોકરે નિવૃત પીએસઆઇના કોન્સ્ટેબલ પુત્રનું મોત

મૃતક હસુભાઇ ટપુભાઇ વણોલ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતાં હતાં

તસ્વીરમાં કાળમુખો ટ્રક, બનાવ સ્થળે વિલાપ કરતાં મૃતકના પિતા અને ભાઇ સહિતના સ્વજનો, નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: માધાપર ચોકડી પાસે બપોરે ટ્રકની ઠોકરે ચડી જતાં નિવૃત પી.એસ.આઇ.ના પુત્રના શરીરનો છૂંદો બોલી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

બનાવની જાણ થતાં પોલીસ કન્ટ્રોલ રૂમ મારફત ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇ ડી.એ. ધાંધલ્યા અને દિવ્યરાજસિંહ ઘટના સ્થળે પહોંચ્યા છે. મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરી હતી.

દરમિયાન મૃતક યુવાન હસમુખભાઇ ટપુભાઇ વણોલ (ઉ.૩૫) હોવાનું ખુલ્યું છે. આ યુવાન નિવૃત પી.એસ.આઇ. ટી.એન. વણોલના પુત્ર થતાં હોવાનું જાણવા મળ્યું છે. તે પોલીસ હેડકવાર્ટરમાં કોમ્પ્યુટર વિભાગમાં ફરજ બજાવતાં હતાં. બનાવને પગલે પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(3:27 pm IST)