Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

દાદાવાડી તીર્થના દર્શન કરતા વિજયભાઈ - અંજલીબેન

રાજકોટ ૬૯ બેઠક પરથી ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૯૧ વર્ષ પ્રાચીન દાદાવાડી તીર્થ ખાતે જીવન સંગીની અંજલીબેન સાથે દાદાના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. સમગ્ર આયોજનમાં મૂર્તિપૂજક જૈન તપગચ્છ, સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા, ગીરીશભાઈ ચા વાળા, પંકજભાઈ કોઠારી, કેતનભાઈ વોરા, ભાવેશભાઈ વોરા તથા સર્વે ટ્રસ્ટી મંડળ તથા તમામ રાજકોટના મૂર્તિપૂજકો સંઘોના પ્રમુખો - ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. વિજયભાઈના સ્વાગત માટે દેરાસરમાં રંગોળી કરાઈ હતી. જીતુભાઈએ પાઘડી પહેરાવી દાદાના આર્શીવાદ આપેલ તથા કાનનબેને મુખ્યમંત્રીશ્રીનું ઓવારણ લઈ સ્વાગત કર્યુ હતું. કેવીનભાઈ દોશીએ વિજયભાઈને રક્ષા પોટલી બાંધી હતી.

(1:33 pm IST)