Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રાજકોટના રતનપરમાં ૭ વર્ષની બાળાનું જનાવર કરડતાં મોત

મધ્યપ્રદેશના દંપતિએ દિકરી ગુમાવતાં ગમગીની

 

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ પર આવેલા કુવાડવાના તાબેના રતનપરમાં વાડીમાં રમી રહેલી ૭ વર્ષની આદિવાસી બાળાને કોઇ જનાવર કરડી જતાં મોત નિપજ્યું હતું.

રતનપરમાં આવેલી પ્રવિણસિંહ ચંદુભા ઝાલાની વાડીમાં રહી મજુરી કરતાં મધ્યપ્રદેશ જાંબુવાના નરૂભાઇ ભુરીયાની દિકરી કવિ (ઉ.વ.૭) ગઇકાલે બપોરે વાડીમાં રમતી હતી ત્યારે જનાવર કરડી જતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત કુવાડવા રોડ પોલીસને જાણ થતાં એએઅસાઇ ડી. કે. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. કવિ ત્રણ બહેનમાં મોટી હતી. લાડકી દિકરીના મોતથી મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(3:11 pm IST)