Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ધારેશ્વર મંદિરે શહીદોની વીરગાથા વર્ણાવી

 રાજકોટ : ભકિતનગર સોસાયટી ધારેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત પ્રસિદ્ધ ધારેશ્વર મંદિરમાં સ્વાતંત્ર્ય દિને વીર શહીદોને સંધ્યા આરતી અર્પણ કરી આ આઝાદીનું પર્વ ઉજવવામાં આવેલ. મંદિરના પટાંગણમાં શહીદોનું વિશાળ કદનું બેનર રાષ્ટ્રભાવના સાથે શણગાર કરી રાખવામાં આવેલ. ટ્રસ્ટના ઉપપ્રમુખ તખુભા રાઠોડે શહીદોની વીરગાથા વર્ણવી અંજલી આપેલ. ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી કિશોરભાઈ પઢીયારે પોતાના બુલંદ અવાજમાં રાષ્ટ્રની ભાવના દર્શાવતા ગીત રજૂ કરેલ. આભારવિધિ પ્રમુખ મનુભાઈ મારૂએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપભાઈ જોષી, ગીરીરાજસિંહ જાડેજા, મેનેજર જયમીનભાઈ જોષી તથા પૂજારી નરેન્દ્રભાઈ ભટ્ટ તથા દિનેશભાઈ ત્રિવેદીએ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૧)

(3:57 pm IST)