Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

BSNL SC/STની જીલ્લા કોન્ફરન્સ યોજાઇઃ નવા હોદ્દેદારોઃ સેક્રેટરી તરીકે પરમાર

રાજકોટ, તા., ૨૦: બીએસએનએલ યુનીયન લીડર એન.જી.પરમારની યાદી જણાવે છે કે કસ્તુરબા ટેલીફોન એક્ષચેન્જ કોન્ફરન્સ હોલમાં બીએસએનએલ એસસી/એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એશો.ની ડીસ્ટ્રીકટ કોન્સફરન્સ યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન રાજકોટ ડીસ્ટ્રીકટ જનરલ મેેેનેજર શ્રી ઉપાધ્યાય ડો.આંબેડકર તથા બુધ્ધ ભગવાનની તસ્વીરને ફુલહાર કરી દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદઘાટન કરેલ અતિથી વિશેષ સી.એચ.કયુ. ન્યુ દિલ્હીના એ.જી.એસ.એન.રાજવંશી, સર્કલ સેક્રેટરી અમદાવાદના એમ.ડી.મૌર્ય, સર્કલ પ્રેસીડેન્ટ કે.એમ.પરમાર તથા અન્ય જનરલ એમ્પ્લોઇઝ યુનીયનના હોદેદારો હાજર રહેલ હતા.

ડીસ્ટ્રીકટ સેક્રેટરી એચ.ડી.પરમાર આસી. જનરલ મેનેજરે સ્વાગત પ્રવચન કરેલ. એન.જી.પરમારે આભાર વિધી કરેલ ત્યાર બાદ ર૦૧૮-ર૦ર૦ ના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરેલ જેમાં ડીસ્ટ્રીકટ સેક્રેટરી તરીકે એ.એમ.પરમાર (પ્રેસીડન્ટ) આર.એ.બાબરીયા (વાઇસ પ્રેસીડન્ટ) શ્રીમતી રસીલાબેન રાઠોડ (ફાઇનાન્સ સેક્રેટરી) સી.પી.ખીમસુરીયા (લીગલ એડવાઇઝર) એન.જી.પરમાર તથા અન્ય હોદેદારોની વરણી જાહેર કરેલ હતી. ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા સાજન પરમાર, આર.એ.બાબરીયા, બાબુ નાયક એમ.ડી.રાઠોડ, સી.પી. ખીમસુરીયા, એચ.ડી.પરમાર, એન.જી. પરમાર તથા વી.એચ.સોલંકીએ જહેમત ઉઠાવેલ હતી.

(3:51 pm IST)