Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આત્મવિલોપન કરે તે પહેલા જ બેનાબેન શિયાળીયાની અટકાયત

મોરબી રોડ રામપાર્કની જમીનમાંથી ઝુપડા હટાવવા બાબતે જનક ભરવાડ સહિતનાં ત્રાસ વિરૂધ્ધ પગલા લેવા પોલીસમાં અરજી કરી'તી

રાજકોટ તા.૨૦: મોરબી રોડ પર રામપાર્કમાં રહેવાસીઓને પ્લોટ ખાલી કરવા મામલે જનક ભરવાડ સહિતનાની ધાકધમકી અને ત્રાસ સામે પગલા લેવા બાબતે વિસ્તારના લોકોએ પોલીસમાં અરજી કરી હતી અને જો કાર્યવાહી ન થાય તો તેણે આત્મવિલોપનની ચીમકી આપતા બી ડિવીઝન પોલીસે મહિલાની અટકાયત કરી છે.

 

મળતી વિગત મુજબ મોરબી રોડ પર રામપાર્કમાં રહેતા બેનાબેના દોલુભાઇ શિયાળીયા સહિતના રહેવાસીઓએ રામપાર્કમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી પરિવાર સાથે રહે છે. હાલમાં જનક ભરવાડ પોલીસનો સાથ લઇને યેનકેન પ્રકારે હેરાન કરી પ્લોટ ખાલી કરાવવા ધાક ધમકીઓ આપતો હોઇ તે બાબતે લતાવાસીઓએ પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે પોલીસ દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા મોરબી રોડ રામપાર્કમાં રહેતા બેનાબેન દોલુભાઇ શિયાળીયાએ આત્મવિલોપનની ચીમકી આપતા બી ડિવીઝન પોલીસે બેનાબેન દોલુભાઇ શિયાળીયા (ઉ.વ.૫૦) (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, મોરબી રોડ) ની અટકાયત કરી ૧૫૧ ની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. (૧.૨૨)

(4:02 pm IST)