Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

કોર્પોરેશન દ્વારા ક્રાંતિવીર મંગલ પાંડેની જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ

 રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તા.૧૯/૦૭/૨૦૧૮ના રોજ ક્રાંતિવીર મંગલ પાંડેની ૧૯૧મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિના આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના આસી.કમિશનર હર્ષદભાઈ પટેલ, ડો. કે.ડી.હાપલીયા, અમિત ચોલેરા તથા સ્થાનીકો રહેવાસીઓ દ્વારા ક્રાંતિવીર  મંગલ પાંડેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. (૨૩.૧૪)

(3:40 pm IST)