Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

શ્વાસની બિમારીથી કંટાળી આંબેડકરનગરના શાંતાબેન પરમારનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૨૦: નાના મવા રોડ એ. જી. સોસાયટી સામે આંબેડકરનગર-૧માં રહેતાં શાંતાબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામના વણકર મહિલાએ એસિડ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે મોત નિપજ્યું હતું.

શાંતિ હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. ભાવેશભાઇ વીસવેલીયા અને વિજયગીરીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં બે પુત્ર છે. પતિ મનસુખભાઇ ભાણાભાઇ પરમાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. શાંતાબેનને શ્વાસની બિમારી હોઇ તેનાથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇગયો હતો.

(12:52 pm IST)