Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

કાલે વ્‍યસનમુકિત પ્રસાદી નિઃશુલ્‍ક અપાશે

હાથ-પગના દુખાવામાં હીલિંગ સારવાર અપાશે : ચકલીના માળા, પાણી માટેના કુંડા વિનામૂલ્‍યે અપાશે

રાજકોટ,તા.૨૦ : વ્‍યસનમુકત સમાજ તથા રેલનગર બિલ્‍ડર્સ ગ્રુપ દ્વારા રવિવારે-કાલે સવારે ૧૦ થી ૧૨ વાગ્‍યા દરમિયાન વ્‍યસન મુકત ઔષધિ પ્રસાદ વિનામૂલ્‍યે અપાશે. ઉપરાંત ચકલીના માળા તથા પક્ષીઓને પાણી પીવાના કુંડા વિનામૂલ્‍યે વિતરણ થશે. આ પ્રસંગે સન્‍ની પાજી ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં હાથ-પગ-ગોઠણના દુઃખાવાની હોલિંગ સારવાર નિઃશુલ્‍ક અપાશે. રજિસ્‍ટ્રેશન માટે મહેન્‍દ્રભાઇ (મો. ૬૩૫૪૦ ૪૨૪૯૩) નંબર પર સંપર્ક કરવો.સમગ્ર કાર્યક્રમ ભગવતી પ્રાઇડ, શિવાલય ચોક રેલનગર ખાતે યોજાશે. વધારે વિગતો માટે અજય વાડોલિયા મો. ૮૦૦૦૦ ૬૪૬૪૬ અથવા નીતિન વાડોલિયા મો. ૮૩૦૮૩ ૦૧૮૩૦ નંબરો પર સંપર્ક થઇ શકે છે.

(2:51 pm IST)