Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

દેશળભગતની પૂણ્‍યતીથી નિમિતે રાધેશ્‍યામ ગૌશાળામાં કાલે બટુકભોજન - મહાપ્રસાદ

હનુમાન જયંતિની ઉજવણી રૈયાધાર ગૌશાળા, નાણાવટી ચોક અને બ્રહ્મસમાજ ચોક એમ ત્રણ સ્‍થળે કરાશે

રાજકોટ તા. ૨૦ : રાધેશ્‍યામ ગૌશાળા રૈયાધાર ખાતે કાલે રવિવારે શ્રી દેશળભગતની પુણ્‍યતીથી નિમિતે સાંજે ૭ વાગ્‍યે દેશળ ભગતની આરતી કર્યા બાદ ૨૦૦૦ ઝુપડપટ્ટીના બાળકોને તેમજ પ૦૦ સર્વે ભકતોને મહાપ્રસાદ અપાશે. સર્વે ભકતોને દર્શન પ્રસાદીનો લાભ લેવા રાધેશ્‍યામ બાપુનું જાહેર આમંત્રણ છે.

ઉલ્લેખનીય છે કે રાધેશ્‍યામ ગૌશાળામાં વર્ષમાં બાવન ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે. આ વખતે શ્રી હનુમાન જયંતિ નિમિતે રાધેશ્‍યામ ગૌશાળા રૈયાધાર, નાણાવટી ચોક અને બ્રહ્મસમાજ ચોક એમ ત્રણ સ્‍થળે ઉજવણી કરાશે. મહાપ્રસાદ અપાશે. તેમ રાધેશ્‍યામ બાપુની યાદીમાં જણાવાયુ છે.

(2:33 pm IST)