Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સાર્વજનીક દવાખાનાનું લોકાર્પણ

 ક્રાંતિમાનવ સેવા ટ્રસ્ટ દ્વારા પછાત વિસ્તારોમાં ચાલી રહેલ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે રૂ. ૧૦ ના ટોકન ચાર્જથી નિદાન અને દવા આપતુ સર્વાજનીક દવાખાનું શરૂ કરાતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, બોરીચા સમાજના અગ્રણી ટીનાભાઇ બોરીચા, રજપુત સમાજના અગ્રણી સંજયભાઇ રાઠોડ, બેડીપરા લેઉવા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયા, મનસુખભાઇ કાકડીયા, ધીરૂભાઇ ડોબરીયા, જયેશભાઇ વીરડીયા, બકુલભાઇ સોરઠીયા, બાબુભાઇ ટોપીયા, પરસોતમભાઇ વઘાસીયા, પ્રવિણભાઇ આંબલીયા, એસ.પી.સી. પ્રમુખ જસ્મીન પીપળીયા તેમજ કિલનીકમાં માનદ સેવા આપનાર ડો. ખુશાલીબેન ડોબરીયા, હર્ષાબેન મુંગરાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. આ દવાખાનામાં દવાના દાતા સ્વામિનારાયણ મંદિર કુંડળધામના પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કાનજીભાઇ સાકરીયા છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિવેક લીંબાસીયા, મોહીત લીંબાસીયા, હાર્દીક તળપદા, મહેશ માલાણી, ધીરૂભાઇ કાકડીયા, અરવિંદભાઇ હાપલીયા, રવિ લીંબાસીયા, ભરત દુબરીયા, શૈલેષ પીપળીયા, મોહીત સંઘાણી, હાર્દીક કાકડીયા, ભરતભાઇ અમરેલીયા, લક્ષ્મણભાઇ ગોંડલીયા, રાજુ ઠુમ્મર, વિજય નાગર, પંકજ દોમડીયા, નવીનભાઇ કોટડીયા, રમેશભાઇ ચૌધરી, જીતુ તળપદા, ધનજીભાઇ, દિનેશ સખીયા, રમણીક ભંડેરી, અરવિંદ ગોંડલીયા, હરેશભાઇ ભાગીયા, રામજીભાઇ ખુંટ, વિમલ હરસોડા, તુષાર મેંદપરા, ગીરીશભાઇ ખુંટ વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)

 

(4:43 pm IST)