Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રૂ.પોણા ત્રણ લાખના ચેક રિટર્ન કેસના આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૨૦: ચેક રીટર્નના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી અશોકભાઇ અમિતભાઇ જરૂ, રાજકોટવાળાએ નેગોસીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ રૂ.૨,૭૫,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પચોતેર હજાર પુરાનો કેસ મયુરભાઇ જગદીશભાઇ ચાવડા, રહે. રાજકોટવાળા વિરૂધ્ધ કરેલ હતો.

આ કેસ શ્રી બી.એચ.ધાસુરાની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પોતે ફરીયાદ સાબિત ન કરી શકતા તેમજ કાયદેસરનું લેણુ સાબિત ન કરી શકતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કેસ આરોપી વતી વકીલશ્રી મકવાણા હિતેષ ધીરજલાલ, ફારૂકભાઇ એસ.ખોરજીયા, અશોકભાઇ બી. ચાંડપા, મહેન્દ્રભાઇ એન.ભાલુ રોકાયેલા હતા.

(4:42 pm IST)