Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સ્વ. રિતેશ પારેખને શ્રધ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીઃ પારેખ પરિવારને સાંત્વના પાઠવી

રાજકોટઃ શહેર ભાજપના ખજાનચી અનિલભાઇ પારેખ તથા વોર્ડનં. ૭ના ભાજપના કોર્પોરેટર મીનાબેન પારેખના પુત્ર રિતેશનું દુઃખદ અવસાન થતા આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના નિવાસસ્થાને જઇને સ્વ. રિતેશને શ્રધ્ધાંજલિ અર્પી હતી. તથા અનિલદાદા સહિતના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તે વખતની તસ્વીર આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર અશોક બગથરીયા)

(4:41 pm IST)