Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રામનાથપરામાં કંચન બાંભણીયા સંચાલિત જૂગારધામમાં દરોડોઃ ૯૩ હજાર સાથે ૬ પકડાયા

એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની ટીમે એક પુરૂષ અને પાંચ મહિલાની ધરપકડ કરી

રાજકોટ તા. ૨૦: રામનાથપરા ભવાનીનગર-૬માં રમાનાથ મંદિર પાસે રહેતી કંચનબેન રામજીભાઇ બાંભણીયા (ઉ.૩૫) નામની મહિલા પોતાના ઘરમાં જૂગાર રમાડતી હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી કંચનબેન તેમજ મન્સુરખાન યુસુફખાન બ્લોચ (ઉ.૪૧-રહે. ભગવતી સોસાયટી-૫, દૂધ સાગર રોડ), કિરણબેન માવજીભાઇ રાઠોડ (ઉ.૩૨-રહે. ભવાનીનગર-૬), જમનાબેન ભરતભાઇ ગુજરીયા (ઉ.૨૫-રહે. ભવાનીનગર-૫), કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા (ઉ.૩૩-રહે. ગંજીવાડા સંતોષ ચોક) તથા સતિબેન દેવાયતભાઇ ડાંગર (ઉ.૪૦-રહે. ગોકુલનગર-૬, જામનગર)ને પકડી લઇ રૂ. ૯૩૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.એસ.આઇ. ડી. પી. ઉનડકટ, હેડકોન્સ. ચંદ્રસિંહ જાડેજા, ભુપતભાઇ દેસાઇ, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, સુધીરસિંહ જાડેજા, મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભુપતભાઇ અને ક્રિપાલસિંહની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

(4:47 pm IST)