Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાજસ્થાન બાસવાડાના પ્રોૈઢ પપ્પુભાઇનું રાજકોટ રૈયાધારમાં 'લૂ' લાગી જતાં મોત

રાજકોટ તા. ૨૦: માથુ ફાડી નાંખતા તડકામાં જનજીવનને ભારે અસર થઇ છે. દરમિયાન રૈયાધાર ઇન્દિીરાનગરમાં ગઇકાલે બપોરે મજૂરી કામ કરી રહેલા રાજસ્થાનના પ્રોૈઢનું લૂ લાગી જવાથી મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જાણવા મળ્યા મુજબ મુળ રાજસ્થાનના બાસવાડાના પપ્પુભાઇ ભુરાલાલ કટારા (ઉ.૫૦) નામના પ્રોૈઢ ગઇકાલે બપોરે રૈયાધાર ઇન્દિરાનગર પાણીના ટાંકા પાસે મજૂરી કામ કરતાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. એએસઆઇ અંજુબેન હરસોડા અને બોઘાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ તડકામાં ખોદકામ કરતી વખતે લૂ લાગી જવાથી આમ બન્યાનું તારણ છે. 

(11:53 am IST)