Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ અને પથિકાશ્રમ ખાતે પ્ર.નગરના પીઆઇ વી. એસ. વણઝારા અને ટીમનો બંદોબસ્ત

રાજકોટના જંગલેશ્વરના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થતાં તેને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ગઇકાલથી જ આઇસોલેશન વોર્ડ બહાર અને નીચે ઇમર્જન્સી વિભાગના ગેઇટ પાસે પોલીસ તથા સિવિલની સિકયુરીટીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત યુવાનના સંપર્કમાં આવેલા તેના પરિવારના લોકોને કવોરન્ટાઇન કરીને પથિકાશ્રમ ખાતે રાખવામાં આવ્યા હોઇ અહિ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ પીઆઇ વી. એસ. વણઝારા અને ટીમ તથા હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂ સહિતે આઇસોલેશન વોર્ડ બહાર બંદોબસ્તમાં રહેલા સ્ટાફની મુલાકાત લઇ સુચનો આપ્યા હતાં. તેમજ પથિકાશ્રમ ખાતે પણ બંદોબસ્તમાં રહેલા તમામ પોલીસ કર્મચારીઓને ફરજીયાત માસ્ક પહેરી રાખવા સુચનો આપ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:50 pm IST)