Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

શિવ રથયાત્રાનું અકિલા ચોક ખાતે સ્‍વાગત

 રાજકોટઃ મહાશિવરાત્રીએ શહેરના અકિલા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા ગૌતમ ગોસ્‍વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શીવ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર  ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, રક્ષાબેન બોળીયા સહીતના સાથે વોર્ડમાંથી તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના ચેતન રાવલ, પી.નલારીયાન પંડીત સહીતના એ જહેમત ઉઠાવી હતી.

(5:09 pm IST)