Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કાલાવડ કોંગ્રેસ પ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામુ

રાજકોટ,તા. ૨૦ : કાલાવડ કોંગ્રેસ પ્રમુખે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને આપી દીધુ છે.

તેઓએ જણાવ્‍યું છે કે, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્‍યની નબળી નેતાગીરી નીચે હું કામ નો કરી શકું તેમ હોય જામનગર જીલ્લાના પ્રમુખ  તેમજ પૂર્વ ધારાસભ્‍ય કાલાવડના બંને લોકો સતત અવગણના અને કોંગ્રેસ પાર્ટી કાર્યકરોની અને કોંગ્રેસ પાર્ટીને તોડવાની પ્રવૃતિ કરે. જેથી આ બંને આગેવાનોની આગેવાનીમાં કામ કરી શકુ તેમ નથી.

હું છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે નિષ્‍ઠાથી કામ કરતો હતો આ બંનેની નેતાગીરીથી કંટાળીને રાજીનામું આપું છું. તેમ સંજયસિંહ જાડેજા પ્રમુખ કાલાવડ કોંગ્રેસ શહેર સમિતિએ જણાવ્‍યું છે.

(3:52 pm IST)