Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વોર્ડ નં.૧૭ ના લોકો માટે આવક અને મરણના દાખલાની વ્યવસ્થા કરાવતા ધારાસભ્ય ગોવિંદભાઇ

હરીધવા રોડ, કોઠારિયા રોડ અને માયાણી ચોક ભાજપ કાર્યાલયનો સંપર્ક સાધવા અનુરોધ

રાજકોટ તા. ૧૯ : મ્યુ.કોર્પોરેશનમાં ચૂંટાયેલા લોકોની મુદત પૂરી થતા આવકના અને મરણના દાખલા માટેની સમસ્યા ઉભી થયેલ છે ત્યારે ધારાસભ્ય શ્રી ગોવિંદ પટેલે આ માટે વૈકલ્પીક વ્યવસ્થા કરાવી છે.

આ અંગે શ્રી પટેલની યાદી જણાવે છે કે ગુંદાવાડીથી શરૂ કરીને રીંગ રોડ સુધીના વિસ્તારના લોકો માટે વોર્ડ-૧૭માં ભાજપ કાર્યાલય હરિધવા રોડ, કોઠારીયા રોડ સ્વીમીંગ પુલ પાછળ રાજુભાઇ સોરઠીયા દાદીમાં પાર્ક તથા જય સરદાર યુવક મંડળ માયાણી ચોક નીતીનભાઇ રામાણી માજી કોર્પોરેટર ગેલેક્ષી મોબાઇલ સ્વામિનારાયણ ચોક તેમજ ધારાસભ્યશ્રીનું કાર્યાલય રાજનગર ચોક ખાતેથી આવક અને મરણના દાખલા મળી શકશે.

(2:41 pm IST)