Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

TDSના પરીપત્રમાં અધ્યાપકોને અન્યાયઃ પેપર એએસમેન્ટમાં દરેક સેમેન્ટરના ટીએ બીલ ચુકવો

સૌ. યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને રજુઆત

 રાજકોટઃ તા.૧૮, સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકોને ઘણા સમયથી રહેલા પડતર પ્રશ્નો અંગે સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળ દ્વારા કાર્યકારી કુલપતિ શ્રી નિલાંબરીબેન દવેને રજુઆત કરવામાં આવી હતી.

સૌ.યુનિ. વિસ્તારના અધ્યાપક મંડળના પડતરપ્રશ્નો  (૧) સૌ.યુનિ. દ્વારા TDSના થયેલ પરિપત્રમાં અધ્યાપકોને અન્યાય થતો હોઇ તે રદ કરવો. (૨) અધ્યાપક મંડળની માગણી છે કે પરીક્ષાની કામગીરીમાં મહેનતાણા વધારવામાં આવ્યા તેનો અત્યારથી જ અમલ કરવામાં આવે. (૩) પેપર એસેસમેન્ટમાં દરેક સેમેસ્ટરના ટીએ બીલ ચુકવવા (૪) વેકેશન દરમિયાન પરીક્ષા કાર્યમાં રોકાયેલા અધ્યાપકોને વળતર રજા આપવી અને તે બાબતની જાણ સૌ પ્રિન્સીપાલોને કરવી.  (૫) કન્વેન્સન બિલ્ડીંગમાં નિયમીત સાફસફાઇ તથા ચોખ્ખાઇ બાબતમાં સ્તવરે કાર્યવાહી કરવી

આ રજુઆતમાં ડો. ક્રિપાલસિંહ પરમાર, ડો. નારણસિંહ ડોડીયા, ડો. બી.એન. પરમાર, ડો. સુનીલ જાદવ  (૯૪૨૮૭ ૨૪૮૮૧), ડો.દલપત ચાવડા વિ. જોડાયા હતા.

(3:42 pm IST)