Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વાલજીભાઇ કલોલાને શ્રધ્ધા સુમન

રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેંચાણ સંઘ કસ્તુરબા ધામ ત્રંબાના પૂર્વ પ્રમુખ વાલજીભાઇ ઝીણાભાઇ કલોલાની ર૮ મી પૂણ્યતીથી નિમિતે ફુલહારનો કાર્યક્રમ રખાયો હતો. સંસ્થાના પ્રમુખ નરેન્દ્રસિંહ એ. જાડેજા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રા.લો. સંઘના સ્થાપક વાલજીભાઇના પુત્ર દિનેશભાઇ કલોલા, વાલજીભાઇના પૌત્ર તારકભાઇ વિનુભાઇ કલોલા, ઉપપ્રમુખ સંજયભાઇ અમરેલીયા, ડીરેકટરો સર્વશ્રી અરજણભાઇ રૈયાણી, રામભાઇ જળુ, હંસરાજભાઇ પીપળીયા, ગૌરવસિંહ જાડેજા, હરીભાઇ અજાણી, મુકેશભાઇ કમાણી, ભીમજીભાઇ કલોલા, ભુપેન્દ્રસિંહ જાડેજા વગેરે તેમજ સહકારી આગેવાનો બળવંતભાઇ નશીત, સંજયભાઇ ત્રાપસીયા, ચેતનભાઇ પાણ, કેયુરભાઇ ઢોલરીયા, જે. કે. પીપળીયા,  તેમજ કલોલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી વાલજીભાઇના સેવાકીય કાર્યોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

(4:07 pm IST)