Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે અન્નકોટ દર્શન

 છેલ્લા પાંચ દિવસથી અહીંના પૂ.સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ઉજવાય રહેલ દિપોત્સવી પર્વ અંતર્ગત આજે લાભ પાંચમના અન્નકોટ દર્શન ખુલ્લા મુકાયા હતા. પૂ. ગુરૂદેવની સન્નમુખ મીઠાઇ મેવાના થાળ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ ધરાવેલ અન્નકોટની ભેળરૂપ પ્રસાદી બનાવી તમામ દર્શનાર્થીઓને વિતરણ કરવામાં આવેલ. તસ્વીરમાં ગુરૂદેવને ધરાવાયેલ વિવિધ વાનગીઓનો રસથાળ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:31 pm IST)