Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ગાંધીગ્રામ શ્યામનગરમાં બેસતા વર્ષે ઘર પાસે ઠઠ્ઠા મશ્કરીની ના પાડતાં દંપતિ પર હુમલો

હરેશભાઇ જોષી અને રીટાબેન જોષીને પડોશીઓએ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ શ્યામનગર-૧માં બેસતા વર્ષના દિવસે જ બ્રાહ્મણ દંપતિ પર નજીકમાં રહેતાં લોકોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઘરના ખુણે જ કેટલાક લવરમુછીયાઓ દરરોજ ઉભા રહી ઠઠ્ઠા મશ્કરી કરતાં હોઇ તેમને આ દંપતિએ  આ રીતે અહિ બેસવાની ના પાડી હોઇ ખાર રાખી માથાકુટ કરાઇ હતી.

મારામારીમાં ઇજા થતાં રીટાબેન હરેશભાઇ જોષી (ઉ.વ.૪૫) તથા તેના પતિ હરેશભાઇ જોષી (ઉ.વ.૪૫) સિવિલમાં દાખલ થતાં ગાંધીગ્રામના એએસઆઇ મહેશભાઇ લુવાએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. હરેશભાઇએ જણાવ્યું હતું કે અમારે ઘરમાં દિકરી હોઇ ઘરના ખુણે કેટલાક દિવસથી કેટલાક શખ્સો ધામા નાખી ઠઠ્ઠા મશ્કરી કરતાં હોઇ અમે તેને આ રીતે બેસવાની ના પાડી હતી. નવા વર્ષને દિવસે આ બાબતનો ખાર રાખી મારામારી કરવામાં આવી હતી. પોલીસે હિતેષભાઇ વિનુભાઇ ચોૈહાણ, આનંદ કનુભાઇ મકવાણા અને હિરેન હિતેષભાઇ ચોૈહાણ સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરી હતી

(3:17 pm IST)