Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પુનિતનગરમાં બિમારીથી ત્રસ્ત દયાબેન કારેલીયા શરીરે તેલ ચોપડી સળગી મર્યા

૬૫ વર્ષના વૃધ્ધાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: શહેરના ગોંડલ રોડ પર પુનિતનગર ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૩૮૫માં આશાપુરા મંદિર પાસે રહેતાં વૃધ્ધા દયાબેન વલ્લભભાઇ કારેલીયા (લુહાર) (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાએ ધોકાને દિવસે સવારે અગિયારેક વાગ્યે પોતાના શરીરે તેલ ચોપડી અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી મારફત થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. આર. જી. ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃતક વૃધ્ધાના પુત્ર બાજુમાં જ રહે છે. પુત્રએ પોલીસને નિવેદનમાં લખાવ્યું હતું કે માજીએ બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ છે.

(3:17 pm IST)