Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

આનંદનગરમાં યુવતિએ સગપણ તૂટી ગયાના આઘાતને કારણે ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ આનંદનગરમાં રહેતાં યુવતિએ સગાઇ તૂટી જવાને કારણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તેણી બે ભાઇના એકના એક બહેન હતાં.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ આનંદનગર શકિત ચોક શુભમ્ વિદ્યાલય પાસે કવાર્ટર નં. ૧૬૧માં રહેતાં રાજેશ્વરીબા શકિતસિંહ જાડેજા (ઉ.વ.૨૩)એ ઘરના ઉપરના રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી મયુરભાઇ ચોૈહાણે કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ભકિતનગર પોલીસને વાકેફ કરતાં એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજેશ્વરીબા બે ભાઇના એકના એક બહેન હતાં. તેમના પિતા પાનનો ધંધો કરે છે અને વડાળીમાં ખેતી પણ છે. વીસેક દિવસ પહેલા તેણીનું સગપણ તુટી ગયું હોઇ તે કારણે આઘાતમાં આ પગલુ ભર્યુ હતું. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(2:32 pm IST)