Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વોર્ડ નં. ૧૭ બાબરીયા કોલોની વિસ્તારમાં ગંદકી-કચરાના ગંજ ખડકાયા

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૭ના રોડ રસ્તા શેરીઓ ઉપર ટેલીફોન ટાવર પાસે તથા પીજીવીસીએલના ટ્રાન્સફોરમ પાસે તથા ખુલ્લા તથા બંધ કમ્પાઉન્ડ વાળેલ પ્લોટની અંદર અતિશ્ય કચરાના ઢગલાઓ પડેલ હોવાથી દિવાળીના તહેવારના રોજ આગ લાગીને સળગીને બે અકસ્માત થવાની શકયતા છે. ઉપરાંત બાબરીયા કોલોની શેરી નં. ૬/૩ ના રસ્તા ઉપર તથા રાધાકૃષ્ણ સોસાયટી બાબરીયા નવરંગ હોલ પાસે તથા પરમેશ્વર સોસાયટી શેરી નં. ૩ પાસે તથા વાણીયાવાડી મેઇન રોડ રંગોલી ફર્નીચર અમરનાથ મંદિર બગીચા પાસે તથા રાજકોટ શહેરના રોડ રસ્તા શેરીમાં કચરાના ઢગલાઓ તાત્કાલીક ઉપડાવી સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ માંગ ઉઠાવી છે. તસ્વીરમાં ગંદકીના ગંજ દર્શાય છે.

(2:29 pm IST)