Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજકોટના ચરણસિંહ ગોહીલ-પૂજા બાવડા-પૂજા જોટાણીયા-સિધ્ધાર્થ ગઢવી સફળ

સરકારે લીધેલી પૂર્વ સેવા તાલીમાર્થી પરીક્ષામાં રાજકોટના તમામ ૪ ડે. કલેકટરો પાસઃ તમામનું પ્રોબેશન આજથી પુરૂ

કુલ ૬૦ IAS-GAS ઉમેદવારોએ પરીક્ષા આપી હતીઃ રર પાસઃ બાકીના ૧ થી ર વિષયમાં ફેઇલ..

રાજકોટ તા. ૧૭ :.. તાજેતરમાં તાલીમાર્થી આઇએએસ-જીએએસ કેડરના ૬૦ જેટલા ડે. કલેકટરો-ટ્રેઇની આઇએએસની ગુજરાત સરકારના સ્પીયા તાલીમ કેન્દ્ર દ્વારા પૂર્વ સેવા તાલીમાર્થી પરીક્ષા લેવાઇ હતી, પ્રોબેશન પિરીયડ દરમિયાન આ પરીક્ષા આપવી ફરજીયાત છે, આ પરીક્ષામાં રાજકોટના ૪ ડે. કલેકટરો સહિત ગુજરાતમાંથી કુલ ૬૦ અધિકારીઓએ પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયું છે, જેમાં ૬૦ માંથી રર ઉમેદવારો પાસ થયા છે, અને બાકીના ૧ થી ર વિષયમાં ફેઇલ થયા છે, ફેઇલ થયેલ ઉમેદવારોને હવે ફરીથી પરીક્ષા આપવાની રહેશે.

રાજકોટના ૪ ડે. કલેકટરો સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવી, સીટી પ્રાંત-ર, શ્રી ચરણસિંહ ગોહીલ, જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા બાવડા, અને સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર શ્રી પુજા જોટાણીયાએ પરીક્ષા આપી હતી. આ તમામ ચારેય ડે. કલેકટરો સફળ થયા છે, અને આ સાથે તેમનું પ્રોબેશન પિરીયડ પણ આજથી પૂરો થઇ ગયો છે.

(12:19 pm IST)