Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

બુધવારે ઇદૈ મિલાદ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સુફી ધ્યાન પ્રયોગ

રાજકોટઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદીરે છેલ્લા ૩૩ વર્ષોથી ઓશો કાર્યથી ધમધમતુ અને રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એકમાત્ર ઓશો ધ્યાન મંદીર પર અવાર નવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.આગામી તા.૨૧ને બુધવારના રોજ ઇદૈ મિલાદ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદીરે સાંજના ૬:૩૦ થી ૮:૩૦ દરમિયાન સુફી ધ્યાન, ઇદૈ મિલાદ ઉત્સવ, સંધ્યા ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદીર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ વિશેષ માહીતીઃ સ્વામી સત્ય પ્રકાશ- ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટકઃ ૯૪૨૬૯ ૯૬૮૪૩

(3:46 pm IST)