Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સરકિટ હાઉસના કર્મચારી મનસુખભાઇ સોઢાનું બેભાન થઇ ગયા બાદ મોત

હનુમાન મઢી પાછળ શિવપરાના રજપૂત પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ શિવપરા-૨માં રહેતાં અને સરકિટ હાઉસમાં ફરજ બજાવતાં મનસુખભાઇ બાબુભાઇ સોઢા (રજપૂત) (ઉ.વ.૫૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:55 pm IST)