Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જનશકિત મઝદૂર સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામજીસિંઘ ઓકટોબરમાં સૌરાષ્ટ્રમાં

લેબરસેલના સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનના નવનિયુકત પ્રમુખ મહેશ રૂઘાણી કહે છે દરેક જિલ્લામાં હોદ્દેદારોની વરણી થશે : લેબરને લગતા પ્રશ્નોને પ્રાથમિકતા

રાજકોટ, તા. ૧૯ : નવી દિલ્હીની જનશકિત મઝદૂર સભા (જેએમએસ) દ્વારા શ્રી મહેશ જમનાદાસ રૂઘાણીની સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનના પ્રમુખપદે નિમણુંક કરવામાં આવી છે.

મહેશભાઈએ જણાવ્યુ હતું કે આમ તો હું ચૂંટણીઓમાં ભાજપને સોશ્યલ મીડીયામાં પ્રચાર - પ્રસારનું કામ કરૂ છું. પણ કોઈ પક્ષમાં હોદ્દો મળ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. જનશકિત મઝદૂર સભામાં સૌરાષ્ટ્ર - કચ્છના પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે.

મુળ મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી રૂઘાણીએ જણાવેલ કે આગામી સમયમાં જિલ્લાવાઈઝ પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે. દરેક જિલ્લાઓમાં લેબરને લગતા પ્રશ્નોને હલ કરવા પૂરતા પ્રયત્નો કરીશ.તસ્વીરમાં સર્વેશ્રી મહેશ રૂઘાણી (મો.૯૩૭૪૧ ૦૦૦૮૦), મિલન જોષી, કિશન પોપટ અને જયેશ રાયચુરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)