Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મ્યુ. કમિ. આકરા પાણીએ

સફાઇમાં બેદરકારી નહિ ચાલે : ૯ કામદારો સસ્પેન્ડ

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓ ખુબ લાંબા સમયથી પૂર્વમંજુરી વગર જ ફરજ પર ગેરહાજર રહેતા હોઈ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ તેઓને સફાઇની કામગીરીમાંથી છુટા કરવાનો હુકમ કરેલ છે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, નવ સફાઈ કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી છેલ્લા ઘણા સમયથી સતત ગેરહાજર રહેલ છે, જેના કારણે સફાઇની કામગીરીમાં તેમજ કોર્પોરેશનના સરળ વહિવટમાં વિક્ષેપ પડતો હતો. મજકુરની ફરજ ૫રની લાંબી ગેરહાજરી સબબ નોટીસ પણ આ૫વામાં આવેલ. પરંતુ મજકુર પોતાની ફરજ પર હાજર થયેલ નથી. આમ, બિનઅઘીકૃત રીતે લાંબા સમયથી ફરજ ૫ર ગેરહાજર રહેવાની ટેવ ધરાવે છે તેવુ સ્પષ્ટ ફલીત થતા જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષતા કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેઓને સોંપેલ સફાઇની કામગીરીમાંથી છુટા કરવાનો કમિશનર  બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે. જેમાં દીપકભાઈ કાળુભાઈ મેરાણ - માત્ર રાત્રી સફાઈ માટે, કેતનભાઈ જીજીભાઈ જેઠવા - ૧૨/અ, કેતનભાઈ ભગુભાઈ મકવાણા - ૨/ક, અરવિંદભાઈ જીણાભાઇ શીંગાળા - ૧૬/અ, રંજનબેન કાનજીભાઈ મકવાણા - ૧, જયંતીભાઈ હીરાભાઈ ઝાલા - ૧૪/ક, ભાવેશભાઈ ભનુભાઈ પુરબીયા - ૨/ક, ખોડાભાઈ પોલાભાઈ વાઘેલા - ૧૪/બ, સંદીપભાઈ દિનેશભાઈ બેડીયા - ૧૮/બ સહિતના નવ કામદારોને સસ્પેન્ડ કર્યા છે.

(3:40 pm IST)