Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રેલનગર નવોદિતા ટાઉનશીપમાં બનાવ

કેન્સરથી કંટાળી હસીનાબેને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૧૯: રેલનગર નવોદિતા ટાઉનશીપમાં ચોથા માળે ઇ બ્લોકમાં રહેતાં  હસીનાબેન આશીફભાઇ પરમાર (ઉ.૩૪) નામના મહિલાએ ઘરમાં પંખાના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

 

બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને વિરભદ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. હસીનાબેનને સંતાનમાં બે પુત્ર છે. એક નવમું ધોરણ અને બીજો પહેલુ ધોરણ ભણે છે. પતિ રિક્ષાચાલક છે.

હસીનાબેનને બિમારી હોઇ કામ કરી શકતાં ન હોઇ કામવાળા બહેન રાખ્યા હતાં. તેણે સાંજે રૂમનો દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં હસીનાબેનને પતિને ફોન કરીને બોલાવ્યા હતાં. તેણે આવીને દરવાજો તોડતાં પત્નિ લટકતાં મળ્યા હતાં. બે સંતાન મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કેન્સરથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(11:39 am IST)