Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બામણબોરમાં વાવાઝોડાને લીધે પોલીસ સ્ટાફ અને સરપંચે મળી ૧૫૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યાઃ ભોજનની વ્યવસ્થા

રાજકોટ : નવાગામ બામણબોર ખાતે વાવાઝોડાને ધ્યાનમાં લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશન અધિકારી અને સ્ટાફ સાથે મળી  સરપંચ જીલુભાઇ ગમારાએ નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળે એટલે કે ગામની નિશાળમાં ખસેડી અહિ ભોજન સહિતની વ્યવસ્થા ઉભી કરી હતી.  સરપંચ જીલુભાઇએ  જણાવ્યું હતું કે ઓૈદ્યોગિક વિસ્તારમાં મજૂરી કરતાં લોકો નીચાણવાળા વિસ્તારમાં હોઇ તેઓના કોરોના રિપોર્ટ ટેસ્ટ કરાવીને અહિ આશરો અપાયો હતો. દોઢસો જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ બામણબોરથી બાબુલાલ ડાભીએ જણાવ્યું હતું.

(11:32 am IST)