Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

તમામ વેપારી અને ગ્રાહકોએ શરતોનો ચુસ્તપણે અમલ કરવો : પદાધિકારીઓની અપીલ

રાજકોટ,તા.૧૯: દેશમાં કોરોના મહામારીને કારણે ૧૭ મે ૨૦૨૦ સુધીના લોકડાઉન બાદ ફરીને દેશમાં ૩૧ મે ૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. આ ચોથા લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા ધંધા-રોજગાર વિગેરે માટે જરૂરી ગાઈડ-લાઈન આપવામાં આવેલ છે. જેના સનુંસંધાને રાજય સરકાર દ્વારા કન્ટેન્મેન્ટ સિવાયના વિસ્તારમાં ધંધા-રોજગાર ચોક્કસ શરતોને આધીન છુટછાટ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ રાજકોટમાં વેપાર-ધંધા માટે ઓડ-ઇવનના અમલ સાથે ખોલવાની મંજૂરી આપેલ છે. જે અંતર્ગત વેપારી અને ગ્રાહકોએ શરતોનો ચુસ્તપણે અમલ કરવા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા દંડક અજયભાઈ પરમારે સહિતના પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

(4:30 pm IST)