Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજપુત કરણી સેનાના હોદ્દેદારોની વરણીઃ સૌરાષ્ટ્ર પ્રમુખપદે જે.પી.જાડેજાઃ જિલ્લા પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા

ગુજરાત પ્રવકતાપદે ક્રિપાલસિંહ ઝાલાઃ સંગઠન વધુ મજબુત બનાવાશે

 રાજકોટઃ તા.૧૯, સમગ્ર ભારત દેશનું સૌથી મોટુ યુવા સંગઠન શ્રી રાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાના દ્વારા અમદાવાદ ખાતે મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણીના એક કાર્યક્રમમાં રાજકોટ શહેરની ટીમના હોદ્દેદારોની કામગીરીની સરાહના કરતા તેઓને નવી જવાબદારી સાથે સૌરાષ્ટ્ર પ્રમુખ પદે જે.પી. જાડેજા (લુણીવાવ) ગુજરાત પ્રવકતા પદે ક્રિપાલસિંહ ઝાલા (હડાળા) ૯૯૨૫૫ ૨૮૬૫૨,  ૯૮૨૫૩૦૦૦૯૭ તેમજ રાજકોટ જીલ્લાના પ્રમુખપદે કૃષ્ણસિંહ જાડેજા (મોણપર) ૯૮૯૮૫૦૦૮૦૦ની વરણી કરવામાં આવેલ. જે.પી. જાડેજા રાજકોટ શહેર પ્રભારી ક્રિપાલસિંહ ઝાલા સૌરાષ્ટ્ર પ્રવકતા તેમજ કૃષ્ણસિંહ જાડેજા રાજકોટ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલ હતી. તેઓ ૨૫ વર્ષની સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.જે.પી. જાડેજાના નેતૃત્વમાં શ્રી રાજપુત કરણી સેનાનું એક મજબુત સંગઠન બનાવવા ફરીથી અભ્યાન ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ક્રિપાલસિંહ ઝાલા તેમજ કૃષ્ણસિંહ જાડેજાએ ફિલ્મ પદ્માવત  વખતે રાજકોટ શહેરમાં એક સફળ લડત આપેલ.  (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૪૦.૯)

(4:05 pm IST)