Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જળમુખી મિત્ર મંડળ દ્વારા રામ જન્મોત્સવની ઉજવણી

 લોહાણાપરા ખાતે આવેલ શ્રી જળમુખી મિત્ર મંડળ દ્વારા રામનવમી નિમિતે રામ જન્મની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ કલાકે રામ જન્મના વધામણારૂપે મહાઆરતી ઉતારી બાદમાં ફળાહાર મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ. આદર્શ મંડળના પ્રમુખ કે. એમ. માવાણી, જાણીતા ધારાશાસ્ત્રી તુલસીદાસભાઇ ગોંડલીયા, રઘુવંશી અગ્રણી ચંદ્રકાન્તભાઇ તન્ના, રઘુવંશી પરિવારના પરેશભાઇ વિઠ્ઠલાણી તેમજ લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષીણી, બાલાભાઇ રાવ, નીતીનભાઇ સાતા, જીતુભાઇ શીંગાળા, જતીનભાઇ દક્ષીણી, કૌશિકભાઇ શીશાંગીયા, સુરેશભાઇ પુજારા, કિશોરભાઇ સોમૈયા, કાનાભાઇ કેળાવાળા, મચ્છાભાઇ, નાગજીભાઇ, જગદીશભાઇ, સુનીલભાઇ વગેરેેએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)