Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પ્રયોગશીલ એકાંકી નાટક 'સાવધાન'નું મંચન : નારી વિહોણા સમાજનો ચિતાર રજુ

રાજકોટ : વિનામુલ્યે નાટય પ્ર-શિક્ષણ આપતી ઉત્સવ એકટીંગ એકેડેમીના નિર્લોક પરમાર નિર્મિત અને લિખિત નારી વિહોણો સમાજનો ચિતાર આપતુ અને ભૃણ હત્યા સામે જાગૃકતા લાવતુ પ્રયોગશીલ એકાંકી નાટક 'સાવધાન' તાજેતરમાં મણીયાર હોલ ખાતે મંચસ્થ થયુ હતુ. જેમાં ભરત પરમાર, ભરત લાલસેતા, નિરાલી લાઠીયા, વર્ષા પરમાર, ગૌતમ દવે, કિસ્મત સરવૈયા, અમિત તળાવીયા, હર્ષલ જીવરાજાની, પ્રિતેશ પરમાર, રોચિરામ ટોપરાની, ચેતન માલની, જતિન જગડ, શુભમ ભટ્ટ, અનિલ જગડ, નૈમિષ સરવૈયાએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સંગીત સંચાલન ધવલ વાઘેલાએ અને પ્રકાશ સંચાલન જયેશ પડિયાએ કરેલ. મેકઅપ સાક્ષી લાલસેતા અને નેપથ્ય દિશા પરમાર તથા ધ્રુમિલ બારડે સંભાળેલ.

(3:53 pm IST)