Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મહાશિવરાત્રી પર્વ નિમિતે દાળીયા ગામના દાળેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો

લઘુરૂદ્ર- ધ્વજારોહણ- ધર્મસભા- મહાઆરતી- મહાપ્રસાદ

રાજકોટ,તા.૧૮: શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં અધ્યક્ષ અનંતભાઈ જી.ભટ્ટની યાદી જણાવે છે કે આગામી તા.૨૧ના મહાશિવરાત્રી પર્વ નિમિતે હર સાલની જેમ આ વખતે રીબડા નજીક આવેલ દાળીયા ગામ ખાતે દાળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજનાં ભાઈ- બહેનો, કુટુંબ કબીલા સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરશે.

શ્રી દાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વ્હેલી સવારે ૪ થી ૭ દરમ્યાન પાઠાત્મક લઘુરૂદ્ર પાઠયાત્મક કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ સવારે ૧૦ વાગ્યે ધ્વજારોહણ કાર્યક્રમ બાદ ભૂદેવોની ધર્મસભા યોજાશે. બાદમાં બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી થશે. મહાપ્રસાદ પણ રાખેલ છે.

દાળેશ્વર મહાદેવ મંદિર (દાળીયાગામ) આવવા રાજકોટ- ગોંડલ થી સતત દર એક કલાકે બસ મળી રહે છે. જ્ઞાતિજનોને આમંત્રણ અપાયું છે. વધુ વિગત માટે અનંતભાઈ  જી. ભટ્ટ શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટ અધ્યક્ષ મો.૯૮૨૫૦ ૭૮૧૩૧નો સંપર્ક કરી શકાય છે.

(11:59 am IST)