Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મા પ્રેમ નઝીલા બુધવારે રાજકોટમાં ઈરાનના સુફી માસ્ટરનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સ્વાગત સમારોહ : કાલે મોરબીમાં વિશેષ ધ્યાન પ્રયોગ

રાજકોટ, તા. ૧૯ : ઓશોના સૂત્ર ''ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન - કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૨ વર્ષોથી રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે.

માં પ્રેમ નઝીલા છેલ્લા નવ વર્ષથી ઈરાનથી ભારત આવે ત્યારે તેઓ અચુક રાજકોટ આવે છે અને તેમનો રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર તથા તેમના સંચાલક સ્વામી સત્ય પ્રકાશ સાથે અતૂટ નાતો છે. તા.૧૯-૨ થી ૨-૩ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા છે. જેમાં પ્રથમ મોરબી મુકામે સજનપુર ગામે ત્યાના ઉદ્યોગપતિ અને ઓશો સન્યાસી રમેશભાઈ રૈયાણીએ ''ઓશો કૈશર ફાર્મ'' નામથી ઓશો આશ્રમ બનાવેલુ છે. ત્યાં આવતીકાલે તા.૨૦ને મંગળવારે બપોરે ૩ થી ૭ દરમિયાન માં પ્રેમ નઝીલાનો સુફી તથા વિશેષ ધ્યાનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સહભાગી થવા માટે શ્રી રમેશભાઈ રૈયાણી મો. ૯૮૭૯૦ ૧૦૭૬૯ તથા સ્વામી ધ્યાન અશોક (ડો. દેવાણી)નો મો. ૯૪૨૬૯ ૯૪૧૫૯ પર સંપર્ક કરી શકાય છે.

રાજકોટ માં ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે તા.૨૧ને બુધવારના રોજ સાંજે ૬ થી ૮:૩૦ દરમિયાન માં પ્રેમ નઝીલાનો સ્વાગત સમારોહ રાખેલ છે. ત્યારબાદ શનિ તથા રવિવારના રોજ તેઓના વિશેષ શૈષન રાખવામાં આવ્યા છે. ત્યારબાદ જામનગરમાં નટુભાઈ ચાવડા - ૯૯૯૮૮ ૮૯૫૪૫ - ઉપલેટા તથા જામનગર માટે અશ્વિનસિંહ વાળા - ૯૮૯૮૪ ૪૩૩૯૮, જેતપુર માટે - ધનરાજગીરી બાપુ - ૯૩૨૮૨ ૩૦૯૮૭નો સંપર્ક કરવો.ઉપરોકત માં પ્રેમ નઝીલાના સ્વાગત સમારોહમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામી સત્ય પ્રકાશે અનુરોધ કરેલ છે.સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ - વૈદવાડી રાજકોટ. વિશેષ જાણકારી માટે સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩ / અશોકભાઈ રાવલ - ૮૪૬૯૭ ૬૦૯૪૭.

(5:25 pm IST)