Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વેલનાથપરામાં દેવીપૂજક યુવાનનો બાવળના ઝાડમાં લટકી આપઘાત

માતા બહારગામ હોઇ નાની બહેન સાથે એકલો ઘરે હતોઃ એક હાથ કપાયેલો હોઇ કંટાળીને પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૧૯: ખોખડદળના પુલ પાસે વેલનાથપરામાં રહેતાં કેતન દિનેશભાઇ દેવીપૂજક (ઉ.૨૦) નામના યુવાને રાત્રે તેના ઘર બહાર આવેલા બાવળના ઝાડમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

કેતન દેવીપૂજકે ઝાડમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ ૧૦૮ના ઇએમટી સાગરભાઇ મારફત થતાં આજીડેમના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ત્રણેક વર્ષ પહેલા કેતનને વિજકરંટ લાગતાં એક હાથ કપાવવો પડ્યો હતો. આ કારણે તે મજૂરી કામ પણ કરી શકતો નહોતો. ગઇકાલે તેના માતા બહારગામ ગયા હોઇ તે નાની બહેન સાથે એકલો ઘરે હતો. કંટાળીને આત્મહત્યા કર્યાની શકયતા છે.

(10:43 am IST)