Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પ્રેમીકા સાથે પરિવાર લગ્ન નહીં કરવા દયે તેવી બીકથી પરેશનો આપઘાતનો પ્રયાસ

અમરજીતનગરમાં બનાવ : યુવાન સારવારમાં

રાજકોટ, તા. ૧૮ : શહેરના અમરજીતનગરમાં 'પ્રેમીકા સાથે પરિવારજનો લગ્ન નહીં કરવા દયે તેવી બીકના લીધે યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નં.૧માં રહેતા પરેશ જીતુભાઇ શીંગાળા (ઉ.વ.ર૦) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ પુષ્પાબેને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વાલ્મીકી યુવાન બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે. તેને ૧પ દિવસ પહેલા તેના નજીકના સગાની દીકરી સાથે ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ આ વાત યુવાનના પરિવારને ખબર પડી જતા પોતાના પરિવારજનો પ્રેમીકા સાથે લગ્ન કરવાની ના પાડશે તેવી બીકના લીધે તેણે આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

(4:09 pm IST)