Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પડધરીમાં કારખાનામાં ઝેરી દવા પી રાજકોટના દર્શનભાઇ રાણીયાનો આપઘાત

રાજકોટ તા. ૧૯ : યુનિવર્સિટી રોડ પર નંદ વિલેજ ખાતે રહેતા પટેલ કારખાનેદારે પડધરીમાં આવેલા કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલ નંદ વિલેજમાં રહેતા દર્શનભાઇ ચમનભાઇ રાણીયા (ઉ.વ.૨૭) એ રાત્રે પડધરી પાસે રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલા પોતાના રાધે નમકીન નામના કારખાનામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક દર્શનભાઇ એકભાઇ અને એક બહેનમાં નાના હતા. પિતા ધ્રોલમાં ખાતરની દુકાન ચલાવે છે. તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પડધરી પોલીસ મથકના હેડ કોન્સ. ફીરોઝભાઇએ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)