Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

સ્વ. રતિભાઈ બોરીચા (ખુંગલા) પરિવાર દ્વારા વણપરીમાં કાલે મોમાઈ માતાજીનો માંડવો

સમગ્ર પ્રસંગનું યુ-ટયુબ પરથી લાઈવ પ્રસારણ

રાજકોટ, તા. ૧૯ :. સ્વ. રતીભાઈ રામભાઈ બોરીચા (ખુંગલા) પરિવાર દ્વારા ખુંગલા પરિવારના મોમાઈ માતાજીના મઢ મુ. વણપરી, તા. પડધરી ખાતે કાલે તા. ૨૦ના રવિવારે શ્રી મોમાઈ માતાજીના ૨૪ કલાકના માંડવાનું આયોજન થયું છે. કાલે રવિવારે સવારે ૭.૧૫ કલાકે થાંભલી રોપણ થશે. સવારે ૮ વાગ્યે માતાજીની શોભાયાત્રા નિકળશે અને સાંજે ૬.૩૦ વાગ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. માતાજીના આ અવસરે થાપાના દેવ ગાત્રાળમાંના ભૂવાશ્રી રતુભાઈ ગઢવી (ખજુરડી) અને ખુંગલા પરિવારના ભૂવાશ્રી કાનાભાઈ ખુંગલા તેમજ રાવળદેવ તરીકે પડધરીવાળા જયદીપભાઈ રાવળ ઉપસ્થિત રહેશે. જાજાસરના શ્રી નાગરાજબાપુ, તારાણાના શ્રી મુરીઆઈ, ખાનપરના શ્રી નારણદાસબાપુ, રાજપરના શ્રી ભરતગીરીબાપુ સહિતના સંતોની પધરામણી થશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા બોરીચા (ખુંગલા) પરિવાર (મો. ૯૦૩૩૪ ૪૪૪૪૪) દ્વારા અનુરોધ કરાયો છે. લાઈવ નિહાળવા

https://www.youtube.com/user/nithaker

(10:29 am IST)