Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાની પ્રદર્શની ભુપેન્દ્રભાઇ-પાટીલજીએ નિહાળીઃ ખુરશીદ સુમાના ભારોભાર વખાણ

ખુરશીદ કહે છે મારા પિતા સ્વ. અલ્તાફભાઇએ આપેલી શીખ મુજબ જ સેવાકીય કાર્યો કરવાની ઇચ્છા

 રાજકોટઃ કર્ણાવતી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતેભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત તમામ મોરચાની સંયુકત કારોબારીમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દરેક મોરચાની પ્રદર્શની નિહાળી હતી. રાજકોટના યુવા અને હોંશીલા કાર્યકર ખુરશીદ સુમાએ મુખ્યમંત્રીશ્રીને ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાની પ્રદર્શની કામગીરીથી માહિતગાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર જી. પ્રદીપસિંહ વાઘેલા, રજનીભાઈ પટેલ, ભાર્ગવભાઈ ભટ્ટ,  ગુજરાત પ્રદેશ પ્રમુખ લઘુમતી મોરચો મોહસીનભાઈ લોખંડવાલા એ લઘુમતી મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી.

પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના  આમંત્રીત સભ્ય એવા ખુરશીદ સુમાએ જણાવેલ કે સાતેય મોરચાની પ્રદર્શની મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ નિહાળી હતી. જેમાં લઘુમતી મોરચાની પ્રદર્શનની જવાબદારી શ્રી સુમાને સોંપવામાં આવી હતી. તેઓની કામગીરીના નેતાઓએ ભારોભાર વખાણ કર્યા હતા.

ખુરશીદ સુમાના કે જેઓ સ્વ. અલ્તાફભાઇ સુમાના પુત્ર છે કે જેઓ  ૧૯૯૫ થી લઘુમતી મોરચાના પ્રમુખ હતા અને વિધવા સહાય, કુંવરબાઇનું મામેરૂ સહિતની સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ હતા. લઘુમતી સમાજમાં તેઓ મોટી નામના ધરાવતા હતા.

ખુરશીદ સુમા યુવા ભાજપના આઇટીસેલ કન્વીનર તરીકે સેવા આપી ચુકયા છે તેઓ નરેન્દ્રભાઇ ઉપરાંત સંઘના શીશુકાળથી સ્વયંસેવક છે તેઓ કહે છે મારે મારા પિતાના પગલે ચાલીને સેવાકીય પ્રવૃતિઓ કરવી છે. ખુરશીદ સુમા મો.૯૨૨૭૨ ૦૦૦૦૯

(3:30 pm IST)