Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

એસ.ટી.બસ સ્ટેશન પાછળ બીમારી સબબ અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ તા. ૧૮ : શહેરના નવા એસ. ટી. બસ સ્ટેશનની પાછળ એક અજાણ્યા પ્રૌઢનું બીમારી સબબ મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ એસ.ટી. બસ સ્ટેશન પાછળ એક આશરે પ૦ વર્ષીય પ્રૌઢ બીમારી સબબ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. તેણે ખાખી કલરનું પેન્ટ તથા બ્લ્યુ કલરની જર્સી પહેરેલ છે તેની  છાતીના ભાગે જુનુ દાઝી ગયાનું નિશાન છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.બી.ખેર સહિતે પ્રૌઢની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કોઇ આ પ્રૌઢના સગાસંબંધી હોય તો  એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-રરર૬૬પ૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:28 pm IST)