Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં છત ભરવાના કામ વખતે બનાવ બીજા માળેથી પટકાતાં મજૂર મનહર સોસાયટીના ગોરખભાઇ ચોૈધરીનું મોત

રાજકોટ તા. ૧૮: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ડો. ભગવાનજીભાઇ પટેલના દવાખાના નજીક બાંધકામની સાઇટ પર બીજા માળે છત ભરવાનું કામ કરતી વખતે અકસ્માતે પડી જતાં આધેડ મજૂરનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

થોરાળા પોલીસ સ્ટેશન સામે મનહર સોસાયટી-૧માં રહેતાં ગોરખભાઇ પંડિતભાઇ ચોૈધરી (ઉ.વ.૪૫) સવારે ભકિતનગર સ્ટેશન પ્લોટમાં બીજા માળે છત ભરવાનું મજૂરી કામ કરી રહ્યા હતાં ત્યારે પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તે સેન્ટીંગ કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં.

(2:42 pm IST)