Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કુબલીયાપરામાં અનીલ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

એકના એક પુત્રના મૃત્યુથી દેવીપૂજક પરિવારમાં કલ્પાંતઃ કારણ અકળ

રાજકોટ,તા. ૧૮ : ચનારાવાડના કુબલીયા પરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કુબલીયા પરા શેરી નં. ૫માં રહેતા અનીલ મનસુખભાઇ સોલંકી (રાઠોડ) (ઉ.વ.૨૪)એ ગઇ કાલે પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે પ્લાસ્ટીકની દોરીબાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા ઘરમાં આવ્યા ત્યારે રૂમનો દરવાજો ન મળતા માતાએ ધક્કોમારી દરવાજો ખોલતા પુત્રને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ  પર પહોંચી ઇએમટી દિનેશભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી તથા રાઇટર અમરદીપસિંહ જાડેજા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક અનીલ બે બહેનોનો એકનો એક ભાઇ હતો. તેના પિતા હયાત નથી તે મજૂરી કામ કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)