Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

વૃંદાવન સોસાયટીમાં પત્નિ સિમંત પ્રસંગમાં ગયા બાદ પતિ અજીતભાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

પુત્ર-પુત્રીએ પિતાનું છત્ર ગુમાવીઃ સિસોદીયા પરિવારમાં અરેરાટીઃ આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ રૂડા પાસે વૃંદાવન સોસાયટી બી-૧માં રહેતાં અજીતભાઇ મનસુખભાઇ મનસુખભાઇ સિસોદીયા (ઉ.વ.૩૬) નામના યુવાને છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં રજપૂત પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

અજીતભાઇએ ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. હરદેવસિંહ જી. રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અજીતભાઇ એક બહેનથી મોટા હતાં અને ટ્રાવેલ્સ બસનું ડ્રાઇવીંગ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઇકાલે સાંજે તેના પત્નિ અનીતાબેન પોતાના ભાઇ-ભાભીના ઘરે સિમંત પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. અજયભાઇના માતા-પિતા અને ૧૧ વર્ષનો પુત્ર ઘરે જ હતાં.  એ દરમિયાન ઉપરના રૂમમાં જઇને અજયભાઇએ ગળાફાંસો ખાઇ લીધો હતો.  પરિવારજનોના કહેવા મુજબ તેમને આવું પગલુ ભરવું પડે તેવું કોઇ કારણ નહોતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(11:39 am IST)