Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

કાલે ખોડલધામ સમિતિઓ દ્વારા બે સ્થળે સ્નેહમીલનઃ નરેશભાઈ પટેલની હાજરી

શ્રી ખોડલધામ સમિતિ સાઉંથ ઝોન, નોર્થવેસ્ટ ઝોન દ્વારા કાર્યક્રમઃ લેઉંવા પટેલ પરિવારને આમંત્રણ

રાજકોટઃ નવા વર્ષમાં એક બીજાને મળીને શુભેચ્છા પાઠવવાના હેતુસર શ્રી ખોડલધામ સાઉંથ ઝોન સમિતિ- રાજકોટ અને શ્રી ખોડલધામ નોર્થ-વેસ્ટ ઝોન સમિતિ- રાજકોટ દ્વારા તા.૧૯ રવિવારના રોજ અલગ અલગ બે સ્થળે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નોહ મિલન કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ હાજરી આપશે.
જેમાં સૌ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી ખોડલધામ સમિતિ સાઉંથ ઝોન- રાજકોટ દ્વારા સાંજે ૪ કલાકે રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર, હરિધવા રોડ પરના નવનીત હોલ ચોક ખાતે આયોજિત કરાયું છે. શ્રી ખોડલધામ સમિતિ સાઉંથ ઝોન- રાજકોટ  શહેરના વોર્ડ નંબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ના લેઉંવા પટેલ પરિવારને જાહેર આમંત્રણ અપાયું છે. જ્યારે બીજું સ્નોહ મિલન શ્રી ખોડલધામ સમિતિ નોર્થઝોન-વેસ્ટઝોન રાજકોટ દ્વારા સાંજે ૫ કલાકે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસેના મિલેનિયમની બાજુના ગ્રાઉંન્ડમાં  વોર્ડ નંબર- ૧,૨,૩,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩ના લેઉંવા પટેલ પરિવારને જાહેર આમંત્રણ અપાયું છે.

 

(11:08 am IST)