Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

કર્ફયુની ૨૭મી રાતે જાહેરનામા ભંગના ૧૩૬ કેસ

રાજકોટ તા. ૧૮: કોરોના સંક્રમણ અટકાવવા શહેર પોલીસ સતત કર્ફયુના કાયદાનું રાત્રે નવથી સવારના છ સુધી પાલન કરાવી રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના મુજબ શહેરના તમામ ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઇન્ટ, જાહેર માર્ગો પર કડક પેટ્રોલીંગ, ચેકીંગ કરી સમગ્ર શહેર પોલીસની ટીમો આ કાર્યવાહી કરી રહી છે. ગઇકાલે કર્ફયુની ૨૭મી રાતે જાહેરનામા ભંગના ૧૩૬ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

(1:40 pm IST)